28 ડિસેમ્બર, 2012
21 સપ્ટેમ્બર, 2012
૨૨ સપ્ટેમ્બરે શરદ સંપાત દિવસ
કાલે દિવસ અને રાત સરખા
દિવસ અને રાત એક સરખા થતાં હોવાની ખગોળિય ઘટનાને શરદ સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. શરદ સંપાત નિમિત્તે દિવસ અને રાત લગભગ ૧૨-૧૨ કલાકના થઇ જાય છે. તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ આ રોમાંચક ખગોળિય ઘટના બનવાની છે. ત્યારે દિવસ ૧૨.૦૭ અને રાત ૧૧.૫૩ કલાકની રહેશે.
સૂર્યનારાયણ જે રસ્તે ચાલે છે તેને ક્રાંતિવૃત કહે છે. પૃથ્વીની વિષુવવૃતિય રેખા જ્યારે પણ આ કાલ્પનિક રેખાને સ્પર્શે ત્યારે શરદ સંપાતની ખગોળિય ઘટના સર્જાય છે. અને તેને કારણે દિવસ અને રાતનો સમય લગભગ એકસરખો જોવા મળે છે. , ગત વર્ષે ૨૩ સપ્ટેમ્બરે શરદ સંપાત દિનનું નિર્માણ થયું હતું તેમ આ વર્ષે ૨૨ સપ્ટેમ્બરે શરદ સંપાતની ખગોળિય ઘટના સર્જાશે.
ભારતીય સમય અનુસાર રાત્રિના ૮.૧૮ કલાકે સૂર્ય વિષુવવૃતની રેખાને પાર કરશે. અને કન્યા રાશિનો સૂર્યોદય વડોદરામાં સવારે ૬.૨૩ કલાકે જયારે સૂર્યાસ્ત સાંજે ૬.૩૩ કલાકે થશે. જેના કારણે દિવસનો સમય ૧૨.૦૭ કલાક અને રાત્રિનો સમય ૧૧.૫૩ કલાકનો રહેશે. અને દિવસ રાતના સમયમાં માત્ર ૧૪ મિનિટનો ફેર જોવા મળશે.શરદ સંપાતની ખગોળિય ઘટના સાથે સૂર્ય અને પૃથ્વીની અદ્ભૂત કળાઓ સ્પષ્ટ થાય છે. આ દિવસથી આપણી ત્યાં દિવસ ટૂંકો થશે અને રાત લાંબી થશે. સૂર્ય દક્ષિણ ગોળાર્ધ તરફ નમતો હોવાને લીધે દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબો થશે અને રાત ટૂંકી થતી જશે. અને આગામી તા.૨૧ ડિસેમ્બરથી સૂર્યનો રસ્તો ફરીથી ઉત્તર તરફ આગળ વધશે.
આ ખગોળિય ઘટનાને પગલે હવેથી આપણા ઘરોમાં દક્ષિણના દરવાજા અને બારીમાંથી વધુ પ્રકાશ ફેલાતો અનુભવાશે. હવામાં ઠંડક વધતી જશે અને પક્ષીઓ અને પતંગિયા દક્ષિણ તરફ જતાં દેખાશે. શરદ સંપાત હાલ તુલા રાશિના બદલે કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તેનું રાશિચક્ર દર ૬૦૦ વર્ષે બદલાતું હોય છે
દિવસ અને રાત એક સરખા થતાં હોવાની ખગોળિય ઘટનાને શરદ સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. શરદ સંપાત નિમિત્તે દિવસ અને રાત લગભગ ૧૨-૧૨ કલાકના થઇ જાય છે. તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ આ રોમાંચક ખગોળિય ઘટના બનવાની છે. ત્યારે દિવસ ૧૨.૦૭ અને રાત ૧૧.૫૩ કલાકની રહેશે.
સૂર્યનારાયણ જે રસ્તે ચાલે છે તેને ક્રાંતિવૃત કહે છે. પૃથ્વીની વિષુવવૃતિય રેખા જ્યારે પણ આ કાલ્પનિક રેખાને સ્પર્શે ત્યારે શરદ સંપાતની ખગોળિય ઘટના સર્જાય છે. અને તેને કારણે દિવસ અને રાતનો સમય લગભગ એકસરખો જોવા મળે છે. , ગત વર્ષે ૨૩ સપ્ટેમ્બરે શરદ સંપાત દિનનું નિર્માણ થયું હતું તેમ આ વર્ષે ૨૨ સપ્ટેમ્બરે શરદ સંપાતની ખગોળિય ઘટના સર્જાશે.
આ ખગોળિય ઘટનાને પગલે હવેથી આપણા ઘરોમાં દક્ષિણના દરવાજા અને બારીમાંથી વધુ પ્રકાશ ફેલાતો અનુભવાશે. હવામાં ઠંડક વધતી જશે અને પક્ષીઓ અને પતંગિયા દક્ષિણ તરફ જતાં દેખાશે. શરદ સંપાત હાલ તુલા રાશિના બદલે કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તેનું રાશિચક્ર દર ૬૦૦ વર્ષે બદલાતું હોય છે
17 સપ્ટેમ્બર, 2012
9 સપ્ટેમ્બર, 2012
ઓઝોન અવક્ષય
ઓઝોન અવક્ષય
ઓઝોન અવક્ષય ના બે તદ્દન જુદા, છતાં સંબંધિત નીરિક્ષણો છેઃ 1970ના દાયકાથી પૃથ્વીના ઊર્ધ્વમંડળ(ઓઝોન સ્તર)માંના ઓઝોનના કુલ કદમાં
પ્રતિ દશકાએ 4% જેટલો ધીમો, સતત ઘટાડો, અને એ જ સમયગાળામાં પૃથ્વીના ધ્રુવીય પ્રદેશો પરના ઊર્ધ્વમંડળીય ઓઝોનમાં ઘણો
મોટો, પણ મોસમી ઘટાડો. અહીં જે બીજી ઘટના વર્ણવી છે
તેને સામાન્ય રીતે ઓઝોન છિદ્ર તરીકે સંબંધવામાં આવે છે. ઊર્ધ્વમંડળીય ઓઝોનઅવક્ષયની આ જાણીતી ઘટના ઉપરાંત, વસંત દરમ્યાન ધ્રુવીય વિસ્તારોની સપાટી નજીક
ઘટતા અધોમંડળીય
ઓઝોન અવક્ષયના બનાવો પણ નોંધપાત્ર છે.
ધ્રુવીય ઓઝોન છિદ્રો આકાર લેવાની ઝીણવટભરી પદ્ધતિ અને મધ્ય-અક્ષાંશ સાંકડા
થવાની પ્રક્રિયા એકબીજાથી તદ્દન અલગ છે, પણ આણ્વિક કલોરિન અને બ્રોમિન ઉદ્દીપક થકી ઓઝોનનો નાશ એ બંનેમાં આકાર લેતી સૌથી
અગત્યની પ્રક્રિયા છે.ઊર્ધ્વમંડળના આ હેલોજન અણુઓનો મુખ્ય સ્રોત કલોરોફલુરોકાર્બન (CFC) સંયોજનો, જે પ્રચલિત રીતે ફ્રેઓન્સ તરીકે ઓળખાય છે અને બ્રોમોફલુરોકાર્બન સંયોજનો, જે હૅલોન્સ તરીકે ઓળખાય છે તેનો ફોટોવિચ્છેદ છે. આ સંયોજનો સપાટી પર ધકેલાઈ જાય તે પછી તે
ઊર્ધ્વમંડળમાં પરિવહન પામે છે. સીએફસી (CFCs) અને હૅલોન્સ બંનેના બહાર ધકેલાવાની પ્રક્રિયા
વધવાથી, બંને ઓઝોન અવક્ષયની પદ્ધતિઓ પણ વધુ બળવાન બની
છે. વધુ માહિતી માટે ગણિત વિજ્ઞાન મંડળ માંથી ડાઉનલોડ કરો
અગસ્ત કેકુલે ૭/૯/૧૮૨૯
વિખ્યાત રસાયણ શાસ્ત્રી એ રાસાયણિક સંરચના નો સિધ્ધાંત મુખ્યત્વ અગસ્ત ની દેન છે કેકુલે ધ્વાર બેઝીન સબંધિત કાર્બનિક રસાયણ મા મહત્વનું ભાગ છે
તેમનો જન્મ જર્મની મા ૭/૯/૧૮૨૯ દિવસે થયેલ હતો શરૂઆતના દિવસોમાં તેમને શિલ્પી બનવાની ખુબજ ઇચ્છા હતી પરંતુ તે સમય દરમ્યાન તેમનો લીવીખ રસાયણ શાસ્ત્રી ના નજીક આવ્યા તેમની રસાયણ તરફની રુચિ વધારવા મદદ રૂપ થાય તેમની પ્રેરણા થી તે પેરીશ ગયા ત્યાં રેનો ફ્રેમી અને બુર્તજ નું વ્યખ્યાયન સાંભળ્યા અને જ્હેરાર સાથે મિત્રતા થઇ ત્યાર બાદ તેઓ સ્વિઝરલેન્ડ અને ઇગ્લેન્ડ મા વધુ રસાયણ વિજ્ઞાનીક ના સપર્ક મા આવ્યા ત્યાંથી હાઈડલબર્ગ એક નાની પ્રયોગ શાળા સ્થાપી ૧૮૫૮ મા ધેટ તથા ૧૮૬૫ મા બોનવિશ્વવિદ્યાલય મા અધ્યાપક રહ્ય ૧૩ જુન ૧૮૮૬ ના દિવસે તેમનું નિધન થાયુ
વધુ જાણવા માટે ગણિત વિજ્ઞાન માંડલ માંથી ડાઉનલોડ કરો
તેમનો જન્મ જર્મની મા ૭/૯/૧૮૨૯ દિવસે થયેલ હતો શરૂઆતના દિવસોમાં તેમને શિલ્પી બનવાની ખુબજ ઇચ્છા હતી પરંતુ તે સમય દરમ્યાન તેમનો લીવીખ રસાયણ શાસ્ત્રી ના નજીક આવ્યા તેમની રસાયણ તરફની રુચિ વધારવા મદદ રૂપ થાય તેમની પ્રેરણા થી તે પેરીશ ગયા ત્યાં રેનો ફ્રેમી અને બુર્તજ નું વ્યખ્યાયન સાંભળ્યા અને જ્હેરાર સાથે મિત્રતા થઇ ત્યાર બાદ તેઓ સ્વિઝરલેન્ડ અને ઇગ્લેન્ડ મા વધુ રસાયણ વિજ્ઞાનીક ના સપર્ક મા આવ્યા ત્યાંથી હાઈડલબર્ગ એક નાની પ્રયોગ શાળા સ્થાપી ૧૮૫૮ મા ધેટ તથા ૧૮૬૫ મા બોનવિશ્વવિદ્યાલય મા અધ્યાપક રહ્ય ૧૩ જુન ૧૮૮૬ ના દિવસે તેમનું નિધન થાયુ
વધુ જાણવા માટે ગણિત વિજ્ઞાન માંડલ માંથી ડાઉનલોડ કરો
ગણિતનો પ્રચાર પ્રસાર કેવી રીતે થયો તેની સપૂર્ણ માહિતી
ગણિત
ગણિત એ જથ્થા, માળખાં, અવકાશ અને વધઘટનો અભ્યાસ છે. ગણના, ગણત્રી માપણીથી શરૂઆત કરીને નિષ્કરણ અને તર્કશાસ્ત્ર ગણિતના વિકાસના મુખ્ય
પડાવો છે.
ગણિતને સદીઓથી એક ફિલસુફી તરીકે જોવામાં આવે છે. પ્લુટો અને તેમના જેવા ઘણા મહાન
ગણિતજ્ઞોની ગણના ફિલસુફ તરીકે વધુ થાય છે. વિજ્ઞાનના વિકાસની સાથે ગણિત એ
વિજ્ઞાનની ભાષા તરીકે ઊદય થયો. ગણિતને અત્યાર સુધી નેચરલ
વિજ્ઞાન, ઍન્જીયરીંગ અને ભૌતિકશાસ્ત્રના પાયા તરીકે જોવામાં આવતું
હતું પણ બાયો-ટેક્નોલોજી અને કમ્પ્યુટરના આવિષ્કારમાં ગણિતનો
ફાળો જોઇને હવે તેને વિજ્ઞાનની તમામ શાખાઓના પાયા તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
ગણિતનો અંગ્રેજી શબ્દ "mathematics" એ ગ્રીક શબ્દ μάθημα (máthema) એટલે કે
"વિજ્ઞાન" અને μαθηματικός (mathematikós) એટલે કે "શીખવાની
ઈચ્છા રાખનાર" પરથી આવ્યો છે. ગણિતને અંગ્રેજીમાં ટૂંકમાં maths (Commonwealth Englishમાં) અથવા math (American Englishમાં) કહેવાય છે હજુ વધુ માહિતી જાણવી હોય તો ગણિત વિજ્ઞાન મંડળ ના પૃષ્ટ માંથી ડાઉનલોડ કરીલો
27 ઑગસ્ટ, 2012
નીલ આર્મસ્ટ્રોંગ
નીલ આર્મસ્ટ્રોંગ |
નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ ૫ ઓગસ્ટ ૧૯૩૦માં અમેરિકાના ઓહિયો રાજ્યના વેપાકોનેટામાં થયો હતો. જુલાઈ ૧૯૬૯માં એપોલો-૧૧ મિશનમાં નેતૃત્વ કરતાં તે ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ હતા ત્યારે તેમણે કહ્યુ હતું કે “ મનુષ્ય માટે આ નાનકડું પગલું માનવ જાતિ માટે મોટી છલાગ સાબિત થશે
ચંદ્ર પર પ્રથમ ડગલું માંડનારા અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગનું ૮૨ વર્ષે નિધન થયું હોવાના સમાચાર પરિવારના સભ્યોએ આ હૃદયસ્પર્શી નિવેદન દ્વારા આપ્યા હતા
૧૬ વર્ષની ઉંમરે આર્મસ્ટ્રોંગને પ્લેન ઉડાવવાનું લાઇસન્સ મળ્યું હતું.
૬૦ કલાકની અંતરિક્ષ સફર બાદ તેઓ ચંદ્ર પર પહોંચ્યા હતા. ૧૯૬૯માં ૧૬મી જુલાઈએ એપોલો-૧૧ને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરાયું હતું.
૧૨ અમેરિકન અવકાશયાત્રી ૧૯૬૯થી ૧૯૭૨માં ચંદ્ર પર જઈ આવ્યા હતા, તેમાંથી આઠ જીવે છે.
૧૯૩૦
પાંચમી ઓગસ્ટે અમેરિકાના ઓહાયોમાં નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ થયો હતો.
૧૯૪૯
અમેરિકી નેવી તરફથી કોરિયન યુદ્ધમાં ભાગ લીધો હતો. યુદ્ધ દરમિયાન તેમણે યુદ્ધવિમાનમાં ૭૮ વાર ફ્લાઇંગ કર્યું હતું.
૧૯૬૨
૧૭મી સપ્ટેમ્બરે નીલ આર્મસ્ટ્રોંગ અને અન્ય બે અવકાશયાત્રી સૌપ્રથમ વાર મીડિયા સમક્ષ આવ્યા.
૧૯૬૬
આર્મસ્ટ્રોંગે અંતરિક્ષમાં પહેલી વાર ઉડાણ ભર્યું હતું, ત્યારે તેમને કાર ચલાવતા નહોતું આવડતું. એ વખતે તેઓ નાસાના જેમિની-૮નું નેતૃત્વ કરી રહ્યા હતા.
૧૯૬૯
૨૦મી જુલાઈએ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો. ચંદ્ર પર પગ મૂકનાર સૌપ્રથમ માનવી બન્યા.
૧૯૭૨
અમેરિકાએ તેનાં ચંદ્ર અભિયાન પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
૨૦૦૯
મિશનની ૪૦મી વર્ષગાંઠે પ્રમુખ બરાક ઓબામાએ નીલ આર્મસ્ટ્રોંગ સહિત અન્ય બે અવકાશયાત્રીનું સન્માન કર્યું હતું. નીલ જ્યારે ચંદ્ર પર હતા ત્યારે ઓબામા સાત વર્ષના હતા.
ગત પાંચમી ઓગસ્ટે ૮૨મો જન્મદિન ઊજવનારા આર્મસ્ટ્રોંગને હૃદયસંબંધી બીમારી હતી અને તાજેતરમાં જ હાર્ટસર્જરી કરાવી હતી પણ તેઓ અસ્વસ્થ હતા અને શનિવારે અવસાન પામ્યા
૧૯૬૯માં અમેરિકાના મૂનમિશન એપોલો-૧૧માં નીલ આર્મસ્ટ્રોંગ કમાન્ડર તરીકે ગયા હતા, તેમની સાથે અન્ય અવકાશયાત્રી એડવિન એલ્ડ્રિન પણ હતા. બંને અવકાશયાત્રીઓએ ચંદ્ર પર ત્રણ કલાક સુધી લટાર મારી હતી, પરંતુ 'જાયન્ટ લીપ' તરીકે ખ્યાતિ તો નીલ આર્મસ્ટ્રોંગને જ મળી અને ચંદ્ર પર પ્રથમ ડગલું ભરનાર મનુષ્ય તરીકે ઓળખાયા
ચંદ્ર પર નીલે ફરકાવેલો ધ્વજ ગાયબ
તાજેતરમાં જ નાસાએ ચંદ્રની સપાટી પરની જે તસવીરો લીધી છે તેમાં છ અમેરિકન ધ્વજ ચંદ્ર પર લહેરાઈ રહ્યા છે પણ તેમાં એપોલો-૧૧ મિશન વખતે નીલ આર્મસ્ટ્રોંગે ફરકાવેલો ધ્વજ ગાયબ છે. અમેરિકન સ્પેસક્રાફ્ટ છ વાર ચંદ્રની સપાટી પર ઊતરી ચૂક્યાં છે અને અવકાશયાત્રીઓએ ત્યાં દર વખતે પોતાના વિજ્ઞાાની અને ટેક્નોલોજીની સિદ્ધિની યાદમાં રાષ્ટ્રનો ધ્વજ ફરકાવ્યો છે. આ ધ્વજ ચંદ્ર પરનાં પ્રતિકૂળ વાતાવરણમાં પણ ફરકી રહ્યા છે.
અંત સુધી ટસના મસ ન થયા!
ચંદ્રની સપાટી પર ડાબો પગ મૂક્યા બાદ નીલ આર્મસ્ટ્રોંગના પ્રથમ શબ્દો હતા, That’s one small step for man, one giant leap for mankind' અર્થાત 'ચંદ્રની સપાટી પર મનુષ્યનું પ્રથમ ડગલું પણ માનવજાત માટે એક મોટી છલાંગ.' આ શબ્દો લોકોએ રેડિયો પર સાંભળ્યા હતા, પરંતુ ૧૯૬૯માં લેન્ડિંગ બાદ તેમણે તરત કહ્યું હતું કે, ''તેમના શબ્દોને ખોટી રીતે રજૂ કરાયા હતા. તેમણે ચંદ્ર પરથી That’s one small step for man, one giant leap for a mankind.' એમ કહ્યું હતું.'' આના પર રિસર્ચ પણ કરવામાં આવ્યાં હતાં. લોકો ભલે એમ કહેતાં કે તેમની સ્પીચમાં સ્વર 'ટ્વ'નો ઉપયોગ નહોતો કરાયો પણ તેમ છતાં કેટલાંક રિસર્ચ તેમના પક્ષમાં હતાં. આર્મસ્ટ્રોંગે જીવનની અંતિમ ક્ષણ સુધી પકડી રાખ્યું હતું કે, ચંદ્ર પરથી તેમણે આપેલી સ્પીચમાંથી એક શબ્દ ગાયબ થઈ ગયો હતો.
ચંદ્ર પર પોતાનો ક્લિયર ફોટો ન લઇ શક્યા
નીલે ચંદ્રની સપાટીને કોલસાની ધૂળ જેવી ગણાવી હતી. તેમનું સ્પેસક્રાફ્ટ જ્યાં ઊતર્યું હતું ત્યાં એક ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો. આ ઐતિહાસિક પળને સ્પેસક્રાફ્ટ પર લગાવેલા કેમેરાએ કેદ કરી હતી. ચંદ્ર પર ઊતર્યા બાદ આર્મસ્ટ્રોંગે સૌપ્રથમ ચંદ્રની સપાટીની તસવીર લીધી અને તેની માટીના નમૂના એકત્રિત કર્યા, જોકે ચંદ્ર પર આર્મસ્ટ્રોંગની કોઈ સારી તસવીર લઈ શકાઈ નહિ, કારણ કે કેમેરા મોટા ભાગનો સમય તેમના હાથમાં જ રહ્યો હતો. આર્મસ્ટ્રોંગ પછી ૨૦ મિનિટ બાદ તેમના સાથી અવકાશયાત્રી એડવિન એલ્ડ્રિન ચંદ્રની જમીન પર ઊતર્યા હતા
.બોલપેને આર્મસ્ટ્રોંગનું મિશન સફળ બનાવ્યુંએપોલો-૧૧ સ્પેસક્રાફ્ટમાં બોલપેન અને ઓલ્ડ્રિનની કોઠાસૂઝે કામ કર્યું ન હોત તો આર્મસ્ટ્રોંગ, ઓલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ અંતરિક્ષમાં જ મૃત્યુ પામ્યા હોત. આર્મસ્ટ્રોંગ અને ઓલ્ડ્રિને ચંદ્ર પર ઊતરવાના ઉત્સાહમાં એક સ્વિચ તોડી નાખી હતી, જે તેમને ચંદ્ર પરથી પાછા પૃથ્વી પર સલામત રીતે લઈ જવા માટે જરૂરી હતી, પરંતુ ઓલ્ડ્રિને કોઠાસૂઝ વાપરી પેનને તૂટેલી સ્વિચની જગ્યાએ લગાવી દીધી હતી, આમ સ્પેસક્રાફ્ટ ચંદ્રની સપાટી પરથી ટેકઓફ થવામાં સફળ રહ્યું હતું. થોડા સમય પહેલાં જ ઓલ્ડ્રિન (૭૬)એ ફિલ્મ પ્રોડયુસર્સને કહ્યું હતું કે, જ્યારે સ્વિચ તૂટી તો તેમના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. તે સ્વિચ કદાચ તેમાંના એક અવકાશયાત્રીના ડ્રેસને કારણે તૂટી હોઈ શકે.
અંતરિક્ષ કાર્યક્રમોમાં રાજકારણથી નિરાશ હતા નીલ
આર્મસ્ટ્રોંગ તેમનાં નિવૃત્ત જીવનમાં બહુ લાઇમલાઇટમાં રહ્યા નહોતા, પરંતુ લાંબા સમય બાદ તેમણે અંતરિક્ષ કાર્યક્રમો પર રમાઈ રહેલાં રાજકારણ અને હરીફાઈ પર ટિપ્પણી કરી આ બધાને તેમને તુચ્છ કક્ષાનું ગણાવ્યું હતું. સ્પેસ કાર્યક્રમો માટેની બરાક ઓબામાની નીતિ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)